Use LEFT and RIGHT arrow keys to navigate between flashcards;
Use UP and DOWN arrow keys to flip the card;
H to show hint;
A reads text to speech;
30 Cards in this Set
- Front
- Back
અમને તો એક જન્મ...
|
અમને તો એક જન્મ–મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી.
|
|
દિવ્યભાવ ને મનુષ્યભાવ એક ...
|
દિવ્યભાવ ને મનુષ્યભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે.
|
|
ગામ ચાડિયામાં વાત ...
|
ગામ ચાડિયામાં વાત કરી જે, ‘ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું.
|
|
ઝેરના લાડવા ખાતાં ...
|
ઝેરના લાડવા ખાતાં સારા લાગે પણ ઘડીક પછી ગળું ઝલાય, તેમ આ વે’વાર છે.
|
|
કોટિ કલ્પે ભગવાનનું ...
|
કોટિ કલ્પે ભગવાનનું ધામ ન મળે, તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે.
|
|
આ લોકની સર્વ ક્રિયા ...
|
આ લોકની સર્વ ક્રિયા તે છોકરાંની રમત જેવી સમજવી, પણ તેમાં માલ માનવો નહિ, એમ નિરંતર જોયા કરવું.
|
|
વિષયનું જે સુખ છે તે...
|
વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે.
|
|
ભગવાન મળ્યા ...
|
ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે, જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષ્યા ન રાખવી.
|
|
જીવ તો બહુ બળિયો છે....
|
જીવ તો બહુ બળિયો છે. તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય ? એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે.
|
|
વ્યવહાર માર્ગ તો કાંઈ ...
|
વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું, એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે.
|
|
ભગવાન અને મોટા સાધુને...
|
ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુઃખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તોપણ ન ટળે.
|
|
મોટાને વિષે મનુષ્યભાવ ...
|
મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, ‘એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્યભાવ છે.’
|
|
અમદાવાદની લંઘીએ ...
|
અમદાવાદની લંઘીએ બધા શહેરનો ઇજારો રાખ્યો. તે કૂટી કૂટીને ખાવા પણ નવરી ન થઈ ને ભૂખી ને ભૂખી મરી ગઈ. તેમ આપણે બધાનો ઇજારો રાખવો નહીં.
|
|
ભગવાનના અવતાર તો અસંખ્ય ...
|
ભગવાનના અવતાર તો અસંખ્ય છે. પણ આ સમે મહારાજ પ્રગટ થયા તે ભેળા હજાર ભગવાનના અવતાર થયા ને પોતે એક માંહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું.
|
|
કલ્યાણનો ખપ કેવો ...
|
કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ જે, ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાંકાં માગવા આવતાં ને કરગરતાં ને તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો.
|
|
જો માર માર ...
|
જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે, ‘મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાનડું પણ હલતું નથી.’
|
|
પૃથ્વીનું રાજ્ય કરે ને...
|
પૃથ્વીનું રાજ્ય કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો. ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે.
|
|
સોમલખારનું દૃષ્ટાંત...
|
સોમલખારનું દૃષ્ટાંત જે, ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે, બે પૈસાભાર ખાઓ, તોપણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ છે એવું જણાય, તો ભોગવાય નહિ.
|
|
આવા સાધુને મનમાં સંભારીએ ...
|
આવા સાધુને મનમાં સંભારીએ તો મનનાં પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો.
|
|
આ તો અનંત ભગવાનના ભગવાન છે, ...
|
આ તો અનંત ભગવાનના ભગવાન છે, એટલું જ કહીએ છીએ. એથી આઘું કેટલુંક કહીએ ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે.
|
|
જેવો બીજાને સમજાવવાનો ...
|
જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય; અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહિ.
|
|
આખી પૃથ્વીમાં એક ...
|
આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાંઈ ખરખરો થાય છે ? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તોપણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે.
|
|
આ તો બહુ મોટો લાભ થયો છે...
|
આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે, તે શું જે, વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે. ને આ દર્શન તો પંચમહાપાપને બાળી મૂકે એવું છે પણ મહિમા જણાતો નથી.
|
|
ભગવાન અક્ષરધામમાં છે તેવા...
|
ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે, તેમાં બાળ, જોબન ને વૃદ્ધપણું એવા મનુષ્યભાવ નથી ને તિરોધાન નથી, ને મનુષ્યભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે.
|
|
પ્રેમીનું હેત તો ટાંકાના ...
|
પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે; ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ.
|
|
બ્રાહ્મણનો દીકરો ...
|
બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયાનો દીકરો વાણિયો કહેવાય તેમ આપણે પુરુષોત્તમની ઉપાસનાનો દેહ બંધાણો તે અક્ષરરૂપ થયા છીએ માટે પોતાનું સ્વરૂપ અક્ષર માનવું.
|
|
પોતાને જીવરૂપ માને ...
|
પોતાને જીવરૂપ માને તેમાં તો દોષ રહ્યા છે ને અક્ષરરૂપ માને તો તેમાં દોષ જ નહીં. ને અક્ષરમાં જાવું છે એમ રહે છે, પણ અક્ષર પોતાને માને ત્યારે જાવાનું ક્યાં રહ્યું ?
|
|
આપણો જન્મ બે વાત...
|
આપણો જન્મ બે વાત સાધવા સારુ થયો છે, તેમાં એક અક્ષરરૂપ થાવું, એમાં દેહ અંતરાયરૂપ છે; ને બીજું ભગવાનમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાયરૂપ છે. એ બે ખોટ ટાળવી.
|
|
ત્રણ જણ સુખિયા : ...
|
ત્રણ જણ સુખિયા : એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે, આશા હિ પરમં દુઃખં નૈરાશ્યં પરમં સુખમ્ – એ ત્રણ સુખિયા છે.
|
|
ધ્યાની, પ્રેમી એ...
|
ધ્યાની, પ્રેમી એ સર્વથી જ્ઞાની શ્રેષ્ઠ, પ્રેમી કેટલાક જાતા રહ્યા, ત્યાગી જાતા રહ્યા, ધ્યાની જાતા રહ્યા, એવા કેટલાંક અંગવાળા જાતા રહ્યા ને જેણે મોટા સાધુ સાથે જીવ બાંધેલા તે ટક્યા.
|